Showing posts with label aaurved. Show all posts
Showing posts with label aaurved. Show all posts

Wednesday, 29 April 2015

ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા-

શું તમે જાણો છો...?

ભૂખ્યા પેટે પાણી પીવાના ફાયદા-

જાપાનમાં સવારે ઉઠીને તરત પાણી પીવાની પ્રથા અત્યંત લોકપ્રિય છે. અને હમણાજ થયેલા સંશોધનો એ વાત ને માન્યતા પણ આપે છે.અમે અમારા મિત્રો માટે પાણી ના ફાયદાઓ વર્ણવી રહ્યા છીએ. જાપાન મેડીકલ એસોસિએશના જણાવ્યા પ્રમાણે જુના હઠીલા અસાધ્ય રોગો અને આધુનિક સમયના રોગો ઉપર પાણીનો ઈલાજ ખુબજ અસરકારક પરિણામો આપે છે.-

જેવાકે માથાનો દુખાવો, શરીરનો દુખાવો, હૃદયની સમસ્યાઓ, જુનો સાંધાનો વા, હૃદયના ધબકારા એકાએક વધી જવા, વાઈ(ફીટ આવવી), મેદસ્વીતા, શ્વસનતંત્રનારોગો અસ્થમા, ટી.બી., મેનેન્જાઇટિસ, કીડની અને મૂત્રમાર્ગના રોગો, ઉલટી, ગેસની સમસ્યા, ઝાડા, મળમાર્ગમાં મસા, ડાયાબીટીસ, કબજીયાત, આંખોના બધા પ્રકારના વિકારો, ગર્ભાશયને લગતી સમસ્યાઓ, માસિકની સમસ્યાઓ, કેન્સર, કાન-નાક અને ગળાની તક્લીફો.

સારવારની રીત-

૧. સવારે ઉઠીને બ્રશ કર્યાં પહેલા ૧૬૦ mlનો એક એવા ૪ ગ્લાસ પાણી પી જવું.

૨. ત્યાર પછી બ્રશ કરવું પણ ૪૫ મીનીટ સુધી કંઈપણ ખાવું કે પીવું નહિ.

૩. ૪૫ મીનીટ પછી તમે ખાઈ પી શકો છો.

૪. બ્રેકફાસ્ટ, લંચ અને ડીનર કર્યાંની ૧૫ મીનીટ પછી ૨ કલાક સુધી કંઈપણ કશો કે પીશો નહિ.

૫. જે લોકો વૃદ્ધ અથવા બીમાર હોય અને ૪ ગ્લાસ જેટલું પાણી એકસાથે ના પી શકે તેમણે શરૂઆત થોડુ પાણી પીવાથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ૪ ગ્લાસ સુધી પહોંચવું.

૬. ઉપરની સારવાર બીમારીઓને નાબૂદ કરશે અને જે લોકો સ્વસ્થ છે તેઓની તંદુરસ્તીમાં વધારો કરશે.

નીચેના લીસ્ટ ઉપરથી એ ખ્યાલ આવશે કે કઈ સમસ્યાના નિવારણ માટે કેટલા દિવસ ઉપચાર કરવો જરૂરી છે-

૧. બી.પી. લોહીનું ઊંચું દબાણ – ૩૦ દિવસ

૨. ગેસ, એસીડીટી અને આંતરડાની સમસ્યાઓ- ૧૦ દિવસ

૩.ડાયાબીટીસ-૩૦ દિવસ

૪. કબજીયાત – ૧૦ દિવસ

૫. કેન્સર – ૧૮૦ દિવસ

૬. ટી.બી. – ૯૦ દિવસ

૭. સાંધાના વા ની સમસ્યાનો સામનો કરતાં લોકોએ પહેલા અઠવાડિયામાં માત્ર ૩ દિવસ અને ત્યારબાદ બીજા અઠવાડિયાથી દરરોજ ઉપચાર ચાલુ રાખવો.

આ ઉપચાર પદ્ધતિની કોઈ આડઅસરો નથી, શરૂઆતમાં વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે એમ બને પરંતુ આ ઉપાયને કાયમમાટે ચાલુ રાખવા થી શરીર એકદમ ચુસ્ત તંદુરસ્ત અને સક્રિય બને છે.

આ ઉપરાંત ચાઈનીઝ અને જાપાનીઝ લોકો જમતી વેળાએ ઠંડું પાણી પીવાને બદલે ગરમ ચા પીવે છે આની પણ આપણે ટેવ પાડવા જેવી છે કારણકે આપણે એમાં કાંઈજ ગુમાવવા જેવું નથી……

એવા લોકો જેઓ ઠંડું પાણી પીવાનું પસંદ કરે છે એમના માટે જ આ લેખ લખાયો છે એમ જાણો.

જમ્યા બાદ એક કપ ઠંડું પીણું પીવું સારું છે પણ જમતી વખતે જો તમે ઠંડા પાણીનો ઉપયોગ કરો છો તો તે તમારા ભોજનમાં રહેલા તૈલીય પદાર્થો ( ઘી, તેલ, માખણ, વગેરે)ને થીજાવી દે છે અને એનાથી તમારી પાચનની ક્રિયા મંદ પડી જાય છે.

જયારે આ થીજી ગયેલા તૈલીય પદાર્થો પેટમાં રહેલા એસિડના સંપર્કમાં આવે છે ત્યારે એ તૂટે છે અને બાકીના ખોરાક કરતાં ઝડપથી આંતરડાઓમાં શોષાઈ જાય છે. આ તમારા શરીરમાં ચરબીનો વધારો કરે છે તમારા આંતરડાઓ માં રહેલી આવી ચરબી તમને કેન્સર જેવી બીમારીનો શિકાર બનાવી શકે છે. માટે જમતી વખતે ગરમ પાણી અથવા સૂપ પીવો સલાહ ભર્યો છે.

હૃદયરોગ વિશે એક ગંભીર બાબત-

* સ્ત્રીઓએ એક વાત સમજવી ખુબજ જરૂરી છે કે દરેક વખતે હાર્ટએટેક આવે ત્યારે ડાબા હાથમાં કળતર થાય એ જરૂરી નથી.

* જડબામાં ખુબજ દુખાવો થતો હોય તો તમારે ચેતવાની જરૂર છે.

* તમને હાર્ટએટેક આવ્યો હોય તો એ જરૂરી નથી કે તમને છાતીમાં જોરદાર દુખાવો થાય જ.

* ક્યારેક ઉલટી ઉબકા કે ખુબજ પરસેવો પણ હાર્ટએટેક નો સંકેત આપે છે.

* ૬૦% લોકો જયારે ગાઢ નિંદ્રામાં હતા ત્યારે તેમણે હાર્ટએટેક આવ્યો હતો અને તેઓ જાગી શક્યા નહોતા.

* જડબામાં ખુબજ જોરદાર દુખાવો થાય તો તમે કદાચ જાગી જાવ અને હાર્ટએટેક ની સમયસર સારવાર મેળવી શકો. આપણે જેટલા વધારે માહિતગાર હોઈએ એટલા જીવન બચવાના મોકા વધારે.

એક હૃદયરોગ નિષ્ણાતના મતે જો દરેક વ્યક્તિ આ માહિતીને તેઓ જેટલા લોકોને ઓળખે છે તેઓ સુધી પહોંચાડે, તો તમે એટલું ચોક્કસ માનજો કે તમે એક જિંદગીને બચાવી શકો છો.

પ્લીઝ એક સાચા ફ્રેન્ડ બનો અને આ લેખ તમારા બધાજ મિત્રો સુધી પહોંચાડો.

આને અવગણશો નહિ શેર કરો કદાચ તમે એક જિંદગીને બચાવી શકશો������



share it frds

लाभदायक घरेलू इलाज

लाभदायक घरेलू इलाज
 
* चक्कर आने पर तुलसी के रस में चीनी मिलाकर सेवन करने से ठीक हो जाते हैं।
* मिश्री के साथ तुलसी दल लेने से पेट में दर्द ठीक हो जाता है।
* कुष्ठ रोग में प्रतिदिन प्रात: तुलसी का रस पीने से रोग ठीक हो जाता है।
* दाद-खाज जैसे चर्म रोगों में तुलसी और नींबू के रस का लेप करने से लाभ मिलता है।
* स्मरणशक्ति को बढ़ाने के लिए तुलसी के 5 पत्ते सुबह खाने से लाभ होता है।
* तुलसी का पंचांग चूर्ण चार माशा गाय के दूध में सुबह-शाम पीने से गठिया रोग ठीक होता है।
* मुंह के छालों में तुलसी के अर्क का कुल्ला करने से लाभ होता है।
* हैजे में तुलसी के बीज का चूर्ण बनाकर गाय के दूध में सेवन करने से तुरंत लाभ मिलता है।
* दस्त आने पर एक माशा जीरा और दस तुलसीदल दिन में तीन बार सेवन करने से लाभ मिलता है।
* पाचन शक्ति बढ़ाने के लिए छोटी इलायची अदरक का रस और तुलसी का रस मिलाकर सेवन करने से लाभ होता है।
* कान में हो रहे सामान्य दर्द को दूर करने के लिए तुलसी के पत्तों का रस कपूर में मिलाकर गुनगुना करके कुछ बूंदें डालने से लाभ मिलता है।
  



share it frds

Saturday, 25 April 2015

ખરતા વાળને રોકો ફક્ત 5 ટિપ્સ દ્વારા




ખરતા વાળને રોકો ફક્ત 5 ટિપ્સ દ્વારા


વાળ ખરવા પાછળ અનેક સામાન્ય સમસ્યા હોઈ શકે છે. અત્યારની આધુનિક લાઈફ સ્ટાઈલ, પ્રદુષણ, ભેળસેળીયું ખાવાનું વગેરે જેવા પરિબળો વાળ ખરવા પાછળના કારણો હોય છે.વાળને ખરતા રોકવા માટે આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો. કોસ્ટિક સોડા જેવા જલદ દ્રવ્યો વપરાતા હોય એવા સાબુનો ઉપયોગ કરવો નહીં. પૌષ્ટિક-સમતોલ અને ફાઈબર વાળો આહાર હોવો જોઈએ. રાત્રી જાગરણ, ચિંતા, ટેન્શન, ભય, ગુસ્સાથી બચવું. અહિ કેટલાક ઉપાય બતાવવામાં આવ્યાં છે તે અજમાવો અને મેળવો આ સમસ્યાથી છૂટકારો. 1.લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાડવાથી રોગી વ્યકિતના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાડવાથી વાળ ફરીથી આવશે. 2.ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે. 3.ટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી જોઈએ. 4.રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનું ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળની ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે. 5.આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો. રસ સુકાઈ જાય ત્યારે આગ પરતી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજg માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.



share it frds