Tuesday 9 June 2015

Tet/htat mate most usefull 200 prasno

જનરલ નોલેજ 200 પ્રશ્ન ક્વિઝ
●●●●●●●●●●●●●●●●●●●●●●●
1 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા

2 ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ

3 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ

4 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

5 સંયુકત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે? Ans: ચિન્મય ઘારેખાન

6 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ

7 મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪

8 કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે? Ans: જયંત ખત્રી

9 ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? Ans: વડોદરા

10 સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ? Ans: હાથમતી

11 ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ? Ans: સંખેડા

12 ‘અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ

13 ‘જીવનમાં ભૂખ ભૂંડી છે ને તેથી ય ભૂંડી તો ભીખ છે’ - પન્નાલાલ પટેલની કઇ મહાન નવલકથાનો આ વિચાર છે? Ans: માનવીની ભવાઇ

14 ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં? Ans: અબ્બાસ તૈયબજી

15 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ - ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન - અરૂન

16 સુધારકયુગના સાહિત્યનું મુખ્ય લક્ષણ કયું છે? Ans: સંસાર સુધારો અને સામાજિક પરિવર્તન

17 ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. Ans: સુનિતા વિલિયમ્સ

18 આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ

19 ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? Ans: બાબુભાઇ જશભાઇ પટેલ

20 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ

21 ‘જનમટીપ’ કોની પ્રસિદ્ધ કૃતિ છે? Ans: ઈશ્વર પેટલીકર

22 ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ

23 ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો. Ans: આદિલ

24 ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું? Ans: ગાંડીવ

25 ગુજરાતમાં સૌપ્રથમ એકસપ્રેસ હાઇવે નં.૧ કયા શહેર વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો? Ans: અમદાવાદ - વડોદરા

26 ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. Ans: બુદ્ધિપ્રકાશ

27 ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ

28 પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાતી હતી? Ans: ઓખાહરણ

29 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક

30 રણજીતરામ વાવાભાઇ મહેતાને નામે કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે? Ans: ગુજરાત સાહિત્યસભા

31 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

32 સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જયોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતાં? Ans: ચારૂમતી યોદ્ધા

33 પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ

34 મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી? Ans: મહાત્મા ગાંધી

35 ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? Ans: પ્રથમ

36 લંડનમાં સૌપ્રથમ ગુજરાતી મહિલા મેયર કોણ હતાં? Ans: લતા પટેલ

37 હડપ્પીય સંસ્કૃતિનો ઉદય ગુજરાતમાં કયારે થયો હતો? Ans: ઇ.સ. પૂર્વે ૨૪૦૦

38 વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ? Ans: જૂનાગઢ

39 ચોરવાડથી વેરાવળ સુધીની અખિલ હિન્દુ ઓપન-સી તરણસ્પર્ધા કોની સ્મૃતિમાં યોજાય છે? Ans: વીર સાવરકર

40 શ્રીરંગ અવધૂત મહારાજનું સ્મારક કયાં આવેલું છે? Ans: નારેશ્વર

41 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર

42 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ

43 ઉકાઇ બંધ કયાં આવેલો છે ? Ans: સુરત

44 ‘સંદેશ રાસક’ કૃતિના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ અબ્દુર રહેમાન

45 મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે ? Ans: ગોમતીપુર

46 ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? Ans: કાનકડિયા

47 મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર

48 સાપુતારા શબ્દનો શો અર્થ થાય છે? Ans: સાપોનું નિવાસસ્થાન

49 કવિ દયારામના જન્મસ્થળ ચાંણોદનું મૂળનામ શું હતું ? Ans: ચંડીપુર

50 એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

51 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક

52 માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યો? Ans: અવંતિનાથ

53 સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કયારે અને કોણે કર્યો હતો? Ans: ૧૯૬૧, પંડિત જવાહરલાલ નહેરુ

54 દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી કાર્યકરનો બહુમૂલ્ય ફાળો છે? Ans: જુગતરામ દવે

55 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫

56 ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર

57 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન

58 પુરાણોમાં કઈ નદીને ‘રુદ્રકન્યા’ કહી છે ? Ans: નર્મદા

59 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી

60 ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? Ans: નરોત્તમ મોરારજી

61 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી

62 ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા

63 ભકત કવિ નરસિંહ મહેતાએ ‘સુદામાચરિત્ર’ના પદો કયા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યાં છે? Ans: શ્રીમદ્ ભાગવત

64 વર્ધામાં ગાંધીજીએ કયો આશ્રમ સ્થાપ્યો હતો? Ans: સેવાગ્રામ આશ્રમ

65 હિંદુ-મુસ્લિમ એકતાનાં પ્રતીક સમી બાબા લુલુઈની મસ્જિદ અમદાવાદમાં કયાં આવેલી છે ? Ans: જમાલપુર

66 શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત

67 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન

68 સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ

69 અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન

70 કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ

71 ગુજરાતી સાહિત્યમાં કોની પદ રચનાઓ ‘કાફી’ તરીકે પ્રસિદ્ધ થઇ છે ? Ans: કવિ ધીરો

72 ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર

73 વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઊછેર કેન્દ્ર કાર્યરત છે? Ans: સિક્કા

74 કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી

75 શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

76 સાબરમતી નદી કયાંથી નીકળે છે ? Ans: રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી

77 ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર કયાં આવેલું છે ? Ans: ખેડબ્રહ્મા

78 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ

79 ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ

80 ભાવનગર જિલ્લાના કયા સ્થળેથી પ્રાગ ઈતિહાસ સમયના હાથી અને એકશૃંગી જેવા પ્રાણીઓનાં અશ્મીઓ મળી આવ્યાં છે ? Ans: પીરમ બેટ

81 ‘જયભિખ્ખુ પુરસ્કાર’ ગુજરાત સરકાર તરફથી શેના માટે એનાયત કરવામાં આવે છે? Ans: માનવકલ્યાણના ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ

82 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ

83 ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી

84 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ

85 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમરેલી

86 પ્રેમલક્ષણા ભકિતનું ઊંચું શિખર કયા કવિએ સર કર્યું છે? Ans: નરસિંહ મહેતા

87 ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી

88 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ

89 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ

90 નાણામંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ (૮ વખત) બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા? Ans: મોરારજી દેસાઇ

91 ‘શાળાપત્ર’ સામયિકના તંત્રી કોણ હતા? Ans: નવલરામ

92 ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં મોખરે છે ? Ans: અમદાવાદ

93 ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ

94 ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.

95 ગુજરાતમાં કયા સ્થળે સાત નદીઓનો સંગમ થાય છે ? Ans: વૌઠા

96 બી.એમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થની સ્થાપના કોણે કરી હતી? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ

97 ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે? Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ

98 ‘મંગલ મંદિર ખોલો...’ - ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા

99 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી

100 લંડનમાં ‘ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ’ અખબાર કોણે શરૂ કર્યું હતું? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા

101 પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલ છે? Ans: અંગરશા પીર

102 ગુજરાતમાં કયો પ્રદેશ લીલી નાઘેર નામે જાણીતો છે ? Ans: ચોરવાડ-વેરાવળ

103 ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકર મહારાજ

104 ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી

105 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર

106 આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી

107 ભારતભરની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે ? Ans: જામનગર

108 ગુજરાતમાં રેલવેનો કયો ઝોન લાગુ પડે છે ? Ans: વેસ્ટર્ન ઝોન

109 ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું? Ans: અમદાવાદ

110 ભારતમાં બે જુદી - જુદી નદીના નીર એકત્રિત કરવાનું કાર્ય સૌ પ્રથમ કયા રાજયે કર્યું ? Ans: ગુજરાત

111 સૌપ્રથમ ગુજરાતી પંચાંગ કયારે પ્રકાશિત થયું? Ans: સંવત ૧૮૭૧

112 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ

113 ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું ? Ans: ગોવાલણી

114 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ

115 ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? Ans: બી.આર.ટી.એસ

116 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું

117 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા

118 ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી

119 પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાના કારણે રચાયું હતું? Ans: દૂધિયું તળાવ

120 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮

121 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ

122 ‘જિગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે’ - આ ગઝલ કોની છે? Ans: બાલાશંકર કંથારિયા

123 પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ કઇ નદીના કિનારે આવેલું છે ? Ans: હિરણ

124 ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી

125 ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? Ans: ત્રણ

126 ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલકુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? Ans: પપીહા

127 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના

128 ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ? Ans: લુણેજ

129 સમગ્ર એશિયામાં રૂરલ મેનેજમેન્ટ ક્ષેત્રે પ્રોફેશનલ્સ તૈયાર કરતી સંસ્થા કઇ છે? Ans: ઈન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)

130 સૌ પ્રથમ વખત ઇંગ્લિશ ચેનલ કયા ગુજરાતી તરવૈયાએ પાર કરી હતી? Ans: સુફિયાન શેખ

131 વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ? Ans: જૂનાગઢ

132 રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે? Ans: સરવસણી (જિ. ખેડા)

133 ગુજરાતમાં રાજાલાલ પક્ષીની કેટલી જાત જોવા મળે છે? Ans: ચાર

134 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો

135 ‘તારે માથે નગારા વાગે મોતના રે’ - પદના રચયિતા કોણ છે ? Ans: દેવાનંદ સ્વામી

136 "જયાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું". - આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? Ans: મહા કવિ પ્રેમાનંદ

137 સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં સચવાયેલી છે? Ans: કૌથુમિય

138 ફકત પોતે બનાવેલા માળાઓમાં જ આરામ ફરમાવી શકતું પક્ષી કયું છે? Ans: કાનકડિયા

139 પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઇ હતી? Ans: આનંદપુર (હાલનું વડનગર)

140 ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનાં નામ આપો. Ans: દિવ, દમણ, દાદરા અને નગર હવેલી

141 ‘વર્લ્ડ હેરીટેજ’માં સ્થાન મેળવવા ગુજરાત સરકાર કઇ સાઇટને વિકસાવી રહી છે ? Ans: ધોળાવીરા

142 શ્રીરંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

143 સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ કયા સ્થળે થાય છે ? Ans: સોમનાથ

144 અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧

145 ગુજરાતમાં આદિવાસી સમાજની સૌથી વધારે વસ્તી કયા જિલ્લામાં છે? Ans: ડાંગ

146 અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા

147 કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ

148 સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ

149 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ

150 કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

151 ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? Ans: સુગરી

152 મધ્યકાલીન કવિ નાકર કયાંનો વતની હતો ? Ans: વડોદરા

153 ગુજરાતી ભાષાની કઇ શૈલી માત્ર ન્હાનાલાલ કવિ પૂરતી જ મર્યાદિત રહી? Ans: ડોલન શૈલી

154 અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ

155 ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? Ans: ઊંઝા

156 વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે? Ans: સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ

157 આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ? Ans: સંસ્કૃત

158 ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? Ans: દહેજ સેઝ

159 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

160 આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? Ans: વસંત

161 ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ

162 ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? Ans: વિદ્યાસંગ્રહ

163 મહાત્મા ગાંધીના પરિવારની કઇ વ્યકિતએ સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનચરિત્ર લખ્યું છે? Ans: રાજમોહન ગાંધી

164 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ

165 ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ? Ans: વિશ્વામિત્રી

166 કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભકત હતો ? Ans: શ્રીકૃષ્ણ

167 સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ

168 કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી

169 પાવાગઢમાંથી નીકળતી એક મહત્ત્વની નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડ્યું છે? Ans: વિશ્વામિત્ર

170 ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરાં...’ ગીતના રચયિતા કોણ છે ? Ans: ઉમાશંકર જોશી

171 ‘દ્વિરેફ’ ઊપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. Ans: રામનારાયણ વિ. પાઠક

172 ગુજરાતનો કયો પ્રદેશ સમુદ્ર કિનારાની જમીન તરીકે ઓળખાય છે ? Ans: કચ્છ

173 ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી

174 ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ? Ans: વૌઠા

175 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ

176 સાબરમતી નદી ઉપર કઈ સિંચાઈ યોજના આવેલી છે ? Ans: ઘરોઈ

177 જેના કિનારે ૧૦૦૮ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેવા અતિપ્રાચીન સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો ગુજરાતના કયા શહેરમાં જોવા મળે છે? Ans: પાટણ

178 ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ

179 ગોંડલમાં કયો રાજવી મહેલ આવેલો છે? Ans: નૌલખા મહેલ

180 ગુજરાતી ભાષામાં ‘ટૂંકી વાર્તા’ સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? Ans: ધૂમકેતુ

181 ગુજરાતમાં પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતું? Ans: બાબુભાઇ જશુભાઇ પટેલ

182 ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

183 આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? Ans: અમદાવાદ

184 દુનિયાની સૌથી મોટી રિફાઇનરી કઇ છે ? Ans: રિલાયન્સ

185 પ્રેમાનંદની ‘મામેરું’ કૃતિ કોના જીવન સાથે જોડાયેલી છે ? Ans: નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ

186 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ

187 ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: મીઠા

188 ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? Ans: ૩૬૬૬ ફૂટ

189 સાપુતારા પર્વતમાળા કેટલી ઊંચાઇ પર આવેલી છે ? Ans: ૧૦૦૦ મીટર

190 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો

191 કવિ કાન્તે અમેરિકાના કયા પ્રમુખનું જીવનચરિત્ર રચ્યું છે? Ans: અબ્રાહમ લિંકન

192 ગુજરાતી ભાષાના જ્ઞાની કવિ અખાએ મુખ્યત્વે શું લખ્યું છે ? Ans: છપ્પા

193 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર

194 ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? Ans: કવિ દલપતરામ

195 કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫

196 ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર

197 ‘સોક્રેટિસ’ કયા પ્રસિદ્ધ ગુજરાતી લેખકની નવલકથા છે? Ans: મનુભાઈ પંચોળી (દર્શક)

198 ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા ? Ans: રુબિન ડેવિડ

199ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ ? Ans: દાંતીવાડા-ઇ.સ. ૧૯૭૩

200ગુજરાતી ગૃહિણીઓમાં અપારnb a લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં
? Ans: વિનોદીની નીલક


No comments:

Post a Comment