કાંકરિયા તળાવની મધ્યમાં કયું
જોવાલાયક સ્થળ આવેલું છે ? –
નગીનાવાડી
કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું
છે ? – નાટ્યસંપદા
કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને
દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા
ગુજરાતના કયા શહેરમાં બને છે? – પાટણ
કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની
સરકાર આપે છે? – ગુજરાત
કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ
સ્વીકાર્યો હતો? – હેમચંદ્રાચાર્ય
કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં
આવેલું છે ? – પોરબંદર
કેન્સરના નિદાન અને તાત્કાલિક
સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ
પ્રોજેકટનું નામ શું છે? – સંજીવની રથ
કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી
લોકભારતી-સણોસરા સંસ્થા કયા
જિલ્લામાં આવેલી છે ? – ભાવનગર
ખંભાતનું પૌરાણિક નામ શું છે? : સ્તંભતીર્થ
ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-
વિચિત્ર મેળો ભરાય છે? – ગુણભાખરી
ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’
દાખલ કરનાર કયા ગુજરાતી હતા? –
બાબુભાઇ જશભાઇ પટેલ
ગિરનાર પર્વત પર મલ્લીનાથનું
સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું? –
વસ્તુપાલ-તેજપાલ
ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ
કોણે જાહેર કરી ? – કેશુભાઇ પટેલ
ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા કયા શહેરમાં
આવેલી છે ? – વડોદરા( વડોદરાથી
અત્યારે ગાંધીનગર ખાતે વડુ મથક ખસેડેલ છે)
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર
ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? – સાપુતારા
ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના
કયારે થઇ હતી ? – ઇ.સ. ૧૯૭૩
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં
આવેલી છે? – ગાંધીનગર
ગુજરાત નું સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ક્યાં
શરુ થયું ?-સુરત
ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના
કયારે થઇ ? – ઇ.સ. ૧૯૭૫
ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં
આશ્રમ સ્થાપ્યો હતો? – કાવેરીને કાંઠે
કુંભકોણમ્માં
ગુજરાત સરકારની ભાષાનિયામકની
કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? –
રાજભાષા
ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના
વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ
અને સંચાલન માટે કયા ખાતાની રચના
કરી છે ? – ગ્રંથાલય ખાતું
ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે
અને કઇ સાલમાં કરી હતી ? – રણજીતરામ
વાવાભાઇ મહેતા – ૧૯૦૪
ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક
પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે?
– પીછોરા
ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની
સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે? – સિદ્ધહેમ
શબ્દાનુશાસન
ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ
કયાંના રાજકુંવર હતા? – થરાદ
ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ
ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? –
ડૉ. આઇ. જી. પટેલ
ગુજરાતના કયા આદિવાસી
લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત
કરાયા છે? – દિવાળીબેન ભીલ
ગુજરાતના કયા ઉદ્યોગપતિએ IIM-Aની
સ્થાપના કરી? – કસ્તુરભાઇ લાલભાઇ
ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને
‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? –
સલીમઅલી
ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા
શિવના મુખ જેવો છે? : ગિરનાર
ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત
રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં?
– ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
ગુજરાતના કયા મંદિરમાં દાન-ધર્માદો
સ્વીકારાતો નથી? – વીરપુરનું
જલારામ મંદિર
ગુજરાતના કયા રાજવી સંતના નામ
સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે?
– સંત પીપાજી
ગુજરાતના કયા રાજવીની સુપુત્રી
શમ્મીકપૂર સાથે પરણ્યા છે? –
ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના
સુપુત્રી
ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત
શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? –
ગરબા
ગુજરાતના કયા વિદ્વાને એક લાખ
શ્લોકોવાળા મહાભારતમાંથી
‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી
તારવી આપી છે? – કે.કા. શાસ્ત્રી
ગુજરાતના કયા વિસ્તારમાં
કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય
વિકસ્યો છે? – પ્રભાસ પાટણ
ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં
પ્રસિદ્ધ છે ? – જામનગર
ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે
ઓળખવામાં આવે છે ? – નડિયાદ
ગુજરાતના કયા શહેરમાં કલાત્મક
વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? –
જામનગર
ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ
શાળાઓ આવેલી છે? – અમદાવાદ
ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ
સરકારી અંગ્રેજી સ્કૂલ સ્થાપવામાં
આવી? – સુરત
ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી
પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? – ઉદવાડા
ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર
જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી
હતી? – સંત પુનિત મહારાજ
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ
ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી
હતા? – ચોરવાડ
ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં જોવા
મળતી ડૂગોંગ માછલીનું વજન આશરે કેટલું
હોય છે? – ૨૩૦થી ૯૦૦ કિ.ગ્રા.
ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં
અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ
વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? – ૪૫થી ૭૦
ટન
ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? –
વલી ગુજરાતી
ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ
હતા? – હંસા મહેતા
ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત
કયારે, કયાંથી થઇ? – ઇ.સ. ૧૯૩૪માં-
વડોદરા
ગુજરાતના પ્રથમ સ્ત્રી પ્રધાન કોણ
હતા – ઈન્દુમતીબહેન શેઠ
ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા?
– બાલાશંકર કંથારિયા
ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય
વિમાન મથકનું નામ શું છે ? – સરદાર
વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે
ઓળખવામાં આવે છે? – કમાંગરી શૈલી
ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ
કેલિકો મિલની સ્થાપના કરી હતી? –
અંબાલાલ સારાભાઇ
ગુજરાતની એકમાત્ર આયુર્વેદ
યુનિવર્સિટીની સ્થાપના કયાં અને
કયારે થઇ? – જામનગર ઇ.સ.૧૯૬૭
share it frds
No comments:
Post a Comment